- આવક વધારવા રિવરફ્રન્ટ પર ચા-કોફી, નાસ્તાના સ્ટોલ ખૂલશે, હરાજીથી અપાશે
અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ પર ફરવા જતાં પ્રવાસીઓ હવે ચા-નાસ્તાની મજા માણી શકાશે. જેના માટે વૉક-વે પર ફૂડ સ્ટોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂડ સ્ટોલની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ સ્ટોલ હરાજીથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદના રિવફ્રન્ટ પર મુલાકાતીઓને હવે ચા-કોફી અને નાસ્તાની સુવિધા વૉક-વે પર જ મળી રહે તે માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ફૂડ કિઓસ્ક ઊભા કરવામાં આવશે. સ્ટોલ મેળવવા માટે હરાજી કરવામાં આવશે અને સૌથી મોટી બોલી લગાવનારને આ કિઓસ્ક આપવામાં આવશે. ફૂડ સ્ટોલ કેવા પ્રકારના હશે તેની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ સ્ટોલ હરાજીથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Sabarmati Riverfront’s lower and upper walkways are about to get an upgrade! Smart, internationally designed, movable food kiosks will soon offer snacks and beverages, enhancing your riverside experience and transforming the way you relax by the river.#comingsoon #kiosk #food… pic.twitter.com/aY4f2TgaRN
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) December 10, 2024
અત્યાર સુધી વૉક-વે પર બંને જગ્યાએ ફૂડ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે અહીં ફરવા આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો. જેથી હવે મુલાકાતીઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ રિવરફ્રન્ટથી થતી આવક વધારવા માટે પણ આ નિયમ લેવાયો છે. જેમાં બંને જગ્યાએ ઊભા કરેલાં ફૂડ સ્ટોલમાં ચા-કૉફી, જ્યુસ અને નાસ્તાનો સમાવેશ કરવામાં આવશે.