અમદાવાદ મનપામાં ભાજપનો 160 બેઠકો પર ભવ્ય વિજય, ખાનપુર ખાતે ઉજવણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડ માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન થયું હતું. જેનું પરિણામ આવી ગયા આવી ગયા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે 192 બેઠકમાંથી 160 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે.

32 બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ છે. 2021માં કોંગ્રેસને 25 સીટ મળી હતી. તેને 7 સીટનો ફાયદો થયો છે. જ્યારે ભાજપની 1 સીટ વધી છે. AIMIMની 7 તથા અન્યની 1 સીટ ઘટી છે.

અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપના નેતાઓ સહિત કાર્યકરોમાં અનેરો ઉચ્છાહ જોવા મળ્યો હતો. ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ભેગા થયા હતા. અને જીતની ઉજવણી કરી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રસંગે ગુજરાતની જનતાનો સૌથી પહેલા આભાર માન્યો. તેમણે કહ્યું કે ભાજપને જીત અપાવવા બદલ આભાર.

દાદાએ જણાવ્યું કે જે રીતે જનતાએ ચૂંટણીમાં જવાબ આપ્યો છે તેમાં ઘણું બધું આવી ગયું છે. જનતાનો વિશ્વાસ જીતવા માટે કાર્યકર્તાઓ દ્વારા જે મહેનત કરવામાં આવી તેને લઈને કહ્યું કે અમે આજ રીતે આગળ વધતા રહીશું.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ પણ સૌથી પહેલા તો ભાજપના કાર્યકર્તાઓ કે જેમણે મહેનત કરીને પાર્ટીને જીત અપાવી તેમનો આભાર માન્યો અને રાજ્યના તમામ નાગરિકોનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે કહ્યું ગુજરાતના નાગરિકો હોશિયાર છે.

તેમણે યોગ્ય સમયે જવાબ આપીને લોકોને બતાવી દીધું કે તેઓ કોણ છે. સાથે જ તેમણે કહ્યું ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો સહકુટુંબ છે. જે આ વર્ષે વધારે મજબૂત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!