પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભના મેળાનો ભવ્ય આરંભ થઈ ગયો છે. ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને આસ્થાનો પ્રતીક આ મેળો દર 12 વર્ષે યોજવામાં આવે છે. મહાકુંભ એ ભારતની પૌરાણિક પરંપરાઓ અને આધ્યાત્મિક વારસાનો ઉત્સવ છે. દર 12 વર્ષે મહાકુંભ પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે યોજાય છે, જ્યાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીનો સંગમ થાય છે. મહાકુંભ 13 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
મહાકુંભ દર 12 વર્ષે યોજાઈ
પ્રયાગરાજમાં આજથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. આજે પોષ પૂર્ણિમાનું સ્નાન છે. વૈદિક પંચાગ પ્રમાણે આ દિવસે સ્નાન કરવા માટે સવારે 5:27 થી 6:21 સુધીનો સમય સૌથી શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તમે પૂર્ણિમાની તિથિએ ગમે ત્યારે દાન કરી શકો છો. મહાકુંભ એ સનાતન ધર્મનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક તહેવાર છે. મહાકુંભ દર 12 વર્ષે યોજવામાં આવે છે. આવી સ્થિતિમાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે મહાકુંભ સ્નાનના પહેલા દિવસે એક કરોડથી વધુ ભક્તો સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે.
મહાકુંભ ઉત્સવ 26 ફેબ્રુઆરી મહા શિવરાત્રીના દિવસે સમાપ્ત થશે
ગઈકાલે 12મી તારીખે 45 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી અને તેના એક દિવસ પહેલા એટલે કે 11મી તારીખે લગભગ 33.5 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ બે દિવસો સ્નાનના દિવસો નહોતા, તેમ છતાં મોટી સંખ્યામાં ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી અને પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે મહાકુંભ ઉત્સવ 26 ફેબ્રુઆરી મહા શિવરાત્રીના દિવસે સમાપ્ત થશે. આજથી 26 ફેબ્રુઆરી સુધી લગભગ 45 કરોડ ભક્તો સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે એવો અંદાજ છે.
અમૃત સ્નાન પહેલા શાહી તરીકે જાણીતું હતું
રાજ્ય સરકાર દ્વારા ઘણા હાઇટેક કેમેરા લગાવવામાં આવ્યા છે. સ્નાન કરી રહેલા ભક્તોની ગણતરી કરવામાં આવે છે. આના દ્વારા મહાકુંભ ઉત્સવ દરમિયાન સંગમમાં કયા દિવસે કેટલા ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી છે તે અંગે ભક્તોનો ચોક્કસ આંકડો બહાર આવે છે. આજે, ફક્ત સામાન્ય લોકો એટલે કે ભક્તો જ સંગમમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે, જ્યારે આવતીકાલે 14 ફેબ્રુઆરીએ મકરસંક્રાંતિ સ્નાન એટલે કે પહેલું અમૃત સ્નાન છે. અમૃત સ્નાન પહેલા શાહી તરીકે જાણીતું હતું. પરંતુ ઋષિમુનિઓ અને સંતોની માંગણી પર શાહી સ્નાનનું નામ બદલીને અમૃત સ્નાન કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત આ મહાકુંભનું આયોજન થઇ રહ્યું છે જેને પગલે લાખોની સંખ્યામાં લોકો આ મેળાવળામાં એકઠા થવા જઇ રહ્યા છે. દરમિયાન અયોધ્યામાં પણ પ્રાણ પ્રતિષ્ઠાની વાર્ષિક ઉજવણીની પણ તૈયારી ચાલી રહી છે.