જામનગર: જામનગરના મહારાજા જામસાહેબે લોકોને પ્રજાસત્તાક દિવસ પહેલા ઐતિહાસિક સંદેશ આપ્યો છે. ગુજરાતના નકશામાં છેવાડાના જિલ્લા તરીકે સ્થાન પામેલા જામનગરની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરેલી છે. ત્યારે હવે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પ્રજાને ઐતિહાસિક અને મહત્વનો સંદેશ આપ્યો છે. આ સંદેશમાં તેમણે હિન્દુ-મુસ્લિમ એકતાનો મેસેજ આપ્યો છે. વર્તમાન સમયમાં હિન્દુ-મુસ્લિમ સંપ્રદાય વચ્ચે ચાલી રહેલા તણાવ વિશે જામસાહેબે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. અને તેમણે સમાજમાં ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરી છે.
જામનગરના મુસ્લિમો મારા ભાઈઓ અને બહેનો
જામનગરના મહારાજા જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહત્વપૂર્ણ સંદેશ આપતા સાંપ્રદાયિક એકતા અને ભાઈચારાની મજબૂત મિસાલ રજૂ કરી છે. વર્તમાન સમયમાં જ્યારે દેશના કેટલાક ભાગોમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે, ત્યારે જામસાહેબે આ પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભારતના કેટલાક ભાગોમાં અને વિશ્વના કેટલાક ભાગોમાં મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે થઈ રહેલા અસહ્ય દુઃસાહસોથી હું ખૂબ જ ભયભીત છું. જો કે હું આ ભયંકર દુર્ઘટનામાં પડવાનું પસંદ કરતો નથી. કારણ કે, જામનગરના મુસ્લિમો મારા ભાઈઓ અને બહેનો છે. જેઓ સિંધ અને કચ્છથી અમારી સાથે આવ્યા હતા અને હંમેશા મારા પરિવાર પ્રત્યે વફાદાર રહ્યા છે હું તેમની સંભાળ રાખવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.
જામ સાહેબે પોતાના સંદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે, જામનગરના મુસ્લિમ સમુદાયને તેઓ પોતાના પરિવારનો જ એક હિસ્સો માને છું. આ સમુદાયના લોકો ઐતિહાસિક રીતે સિંધ અને કચ્છ પ્રદેશમાંથી સ્થળાંતર કરીને જામનગર આવ્યા હતા અને વર્ષોથી રાજ પરિવાર પ્રત્યે વફાદાર રહ્યા છે જામ સાહેબ તેમને સંભાળ લેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
જામસાહેબે પોતાનો સંદેશ જય માતાજીથી સમાપ્ત કર્યો હતો. આ સિવાય આ સંદેશથી તેઓએ સદ્ભાવના અને ધાર્મિક સહિષ્ણુતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.
જામ સાહેબનો ઇતિહાસ
જામ સાહેબ એ નવાનગરના શાસક રાજકુમારનું બિરુદ છે, જે હવે ગુજરાતમાં જામનગર છે. જામ સાહેબો રાજપૂતોના જામ જાડેજા કુળના હતા. અગાઉ નવાનગર તરીકે ઓળખાતું જામનગર નામ એ જ મૂળ પરથી ઉતરી આવ્યું હતું, જ્યારે જામ શબ્દનો અર્થ સરદાર અથવા રાજા થાય છે. વધુમાં, જામ રાવળજી નવાનગરના પ્રથમ, જામ સાહેબ હતા, 1540 માં, જ્યારે તેમણે હાલારના પ્રદેશમાં નવાનગરના નવા શહેરની સ્થાપના કરી હતી, જે તેમના દ્વારા જીતવામાં આવ્યું હતું અને તેમાં કચ્છમાંથી સ્થળાંતર કર્યા પછી 999 ગામોનો સમાવેશ થાય છે.